તા. 8-10-2010, સારંગપુર
આજે સ્વામીશ્રી અહીંથી જૂનાગઢ પધારવાના હતા. આ સંદર્ભમાં રૂપચોકીમાં બેઠેલા નીલકંઠસેવા સ્વામી કહે : ‘અહીંથી જૂનાગઢ પધારો છો, તો ત્યાં ફાવશે ? ત્યાં તો પથ્થરિયું પાણી છે.’સ્વામીશ્રી કેફમાં કહે : ‘અરે ! ગુણાતીતાનંદ સ્વામી રહેલા છે, શ્રીજીમહારાજ પણ પધારેલા છે, શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજની ભૂમિ છે. પથ્થરિયું પાણી એમણે પચાવ્યું તો આપણે ન પચાવી શકીએ ?’
તા. 13-11-2010, રાજકોટ
સ્વામીશ્રી રોજ પૂજામાં પધારે અથવા તો સભામાં પધારે ત્યારે હરિભક્તોની સગવડનો વિચાર પહેલો કરે છે. કોણ ક્યાં બેઠું છે ? એનું નિરીક્ષણ પણ કરી લે છે.
આજે પણ સ્વામીશ્રી પત્ર વાંચતા હતા, એ દરમ્યાન ધર્મચરણ સ્વામીને કહે : ‘અહીંના કોઠારી અને પેલા લિફ્ટવાળા સ્વામી (નિર્દોષમૂર્તિ સ્વામી) અને પેલા જાડા જેવા સાધુ છે (અક્ષરકીર્તિ સ્વામી) એ ત્રણેયને બોલાવી લ્યો.’
ત્રણેય સંતો હાજર થયા એટલે સ્વામીશ્રી કહે : ‘કોઈને પગે તકલીફ હોય, વિકલાંગ હોય એમને માટે સભામંડપમાં જે લિફ્ટ મારા માટે વપરાય છે, એનો ઉપયોગ કરો છો ને ? આ વાત મારે કરવી હતી.’
સંતો કહે : ‘ઘરડા, વૃદ્ધ, પગે તકલીફવાળા માટે લિફ્ટનો ઉપયોગ કરીએ જ છીએ.’ સ્વામીશ્રી કહે : ‘બીજી વાત એ કરવાની છે કે ભાનુભાઈ ગઢિયાને યોગીબાપાએ બહુ સાચવ્યા છે, રમાડ્યા છે, જમાડ્યા છે. એમની ઉંમર થઈ છે, એટલે જો ઘરે તકલીફ હોય તો મંદિરે જમવાની વ્યવસ્થા કરી આપવી.’
યોગીસ્વરૂપ સ્વામીએ તેઓ માટે જે કંઈ કરતા હતા એ વાત કરી. એટલે સ્વામીશ્રી રાજી થયા અને કહે : ‘તમે તો એમને ઓળખો, પણ આ બધા નવા સંતોને પણ વાત કરવી, જેથી ધ્યાન રાખે.’
વળી, સ્વામીશ્રી કહે : ‘નૈરોબીથી હર્ષદભાઈ રાણા આવ્યા છે, તો એ ક્યાં જમે છે ?’
યોગીસ્વરૂપ સ્વામી કહે : ‘બાબુભાઈ મહેતાને પૂછ્યું હતું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હર્ષદભાઈ રાણાનું અહીં ઘર ચાલુ છે, એટલે ઘરે જમે છે.’
વળી, યોગીસ્વરૂપ સ્વામી કહે : ‘આપે આખી જિંદગી બધાનું બહુ સાચવ્યું છે.’
સ્વામીશ્રી કહે : ‘મારા કરતાં તો યોગીબાપાએ જે સાચવ્યું છે એવું કોઈ ન સાચવી શકે. આવા વડીલ હરિભક્તો આવે એમને બોલાવવા, ચલાવવા, જમાડવામાં ધ્યાન રાખવું.’
આ રીતે લગભગ અડધો કલાક સુધી સ્વામીશ્રીએ નવા સંતોને પણ રાખ-રખાવટની વાત કરી. પોતા માટે નિર્માણ કરેલી વસ્તુ પણ હરિભક્તો માટે વપરાય, એવો વિચાર સ્વામીશ્રી સિવાય બીજું કોણ કરી શકે !
તા. 15-6-2017, દિલ્હીથી લંડન જતાં પ્લેનમાં
ભોજન બાદ આજે સિનિયર પાઇલટ જેરેમી પામર સ્વામીશ્રીને મળવા આવ્યા. બ્રિટિશ ઍરવેઝના અગત્યના નિર્ણયોમાં પણ તેઓનો ફાળો હોય છે.તેમણે સ્વામીશ્રીને કહ્યું : ‘મિનેષ મારો મિત્ર છે. તેને કારણે મને આપની નજીક આવવાની તક મળી. હું લંડન મંદિરે પણ ગયો છું. પ્રમુખસ્વામી મહારાજ વિશે પણ જાણું છું, પણ તેઓનાં પ્રત્યક્ષ દર્શનની તક નહોતી મળી. આજે મને આપનામાં પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન થયાં. આપના દ્વારા હું પ્રમુખસ્વામી મહારાજને મળ્યો. અને મને ભગવાનને મળ્યાનો અનુભવ થાય છે. આ અનુભવ હું મારા મંક, પ્રિસ્ટ અને નન્સને કહીશ.’ આ બોલતાં બોલતાં જેરેમીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.
સ્વામીશ્રીના હાથ પોતાના હાથમાં લઈને તે પ્રેમથી દબાવવા લાગ્યા. સંતોએ તેમને સ્વામીશ્રીની સામેની સીટ પર બેસાડ્યા. તેમણે કહ્યું : ‘હું ચુસ્ત કિશ્ચિયન ફોલોઅર છું.’
સ્વામીશ્રી તેમના અનુભવને વધુ દૃઢ કરાવતાં કહે : ‘ક્લોસર ટુ ગૉડ !’ (ભગવાનની વધુ સમીપ.)
જેરેમીએ પણ કહ્યું : ‘હું અનુભવું છું કે હું આપની નજીક છું. હું અને અમારા પાદરીઓ ચર્ચમાં આપના માટે પ્રાર્થના કરીશું. હું તે બધાને આપની વાત કહીશ.’
પછી તેણે કહ્યું : ‘હું અને મિનેષ મિત્ર છીએ. તેમાં બે વાતો કોમન (સરખી) છે, જેના કારણે અમે મિત્રો છીએ. એક તો ભગવાનને કારણે અને બીજું આપના દ્વારા અમે બંને ભગવાનને મળ્યા તેને કારણે.’
જેરેમીનું હૃદય પણ કબૂલી ઊઠ્યું કે સ્વામીશ્રી જેવા સંત તે સ્વયં હરિનું સ્વરૂપ છે.
આજે સ્વામીશ્રીનો તારીખ પ્રમાણે જન્મદિન હતો. વળી, જળઝીલણી એકાદશીનો તહેવાર પણ હતો. તેથી ઠાકોરજીને નૌકા આકારના સિંહાસનમાં પધરાવેલા. તેના અનુસંધાનમાં સંતોએ સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે ‘અમને ભવસાગર પાર કરજો.’
ત્યારે સ્વામીશ્રી બોલ્યા : ‘જરૂર જરૂર પાર કરાવશું. મહારાજ મળ્યા, સ્વામી મળ્યા તેથી ભવસાગર પાર થઈ જ ગયા છીએ !’
સ્વામીશ્રીના આ શબ્દોમાં ભવસાગરના સમર્થ સુકાનીનું સામર્થ્ય ઝળકી રહ્યું.
તા. 14-9-2016, મુંબઈ
પત્રલેખન દરમ્યાન સ્વામીશ્રી ક્યારેય ‘અમારા આશીર્વાદ છે’ એવું લખતા નથી. હંમેશાં ‘સ્વામીબાપાના આશીર્વાદ છે અને અમારી પ્રાર્થના છે’ એવું જ લખે. ફોનમાં પણ એ જ રીતે બોલે.તેના અનુસંધાનમાં આજે એક આશીર્વાદ-પત્ર લખવાની વેળાએ સેવકોએ સ્વામીશ્રીને કહ્યું : ‘આપના આશીર્વાદ છે એવું લખો.’ પણ આ બાબતે સ્વામીશ્રી ‘ના’ પાડતા રહ્યા.
તેથી સેવકોએ વિનંતી કરી કે ‘સ્વામી ! હવે આપ ગુરુપદે વિરાજ્યા. એટલે સૌને અપેક્ષા હોય કે આપના આશીર્વાદ મળે.’
છતાં તેઓએ દાસત્વનો માર્ગ તો ન જ છોડ્યો અને લખ્યું : ‘હરિકૃષ્ણ મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજને પ્રાર્થના કરી છે. અમારી પ્રાર્થના અને આશીર્વાદ છે !’
આ જોઈ દાસત્વના દરિયા સમા સ્વામીશ્રીમાં સૌ ગરક થઈ ગયા.
Featured post
DOM touchstart Event Touch this paragraph to trigger a function that will write "Hello World". Note: This example is for ...
Popular posts
-
New Ringtone - on Pramukhswami Maharaj Shatabdi Mahotsav પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે નવી રિંગટોન ડાઉનલોડ કરવા માટે અહીં...
-
પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિતે ખાસ જોવા જેવા વિડિયો ૧.પ્રમુખસ્વામી મહારાજને શાસ્ત્રીજી મહારાજે જે સ્થાનમાં પોતાના બાળપણના પ્રસ...
Past Posts
- June 2023 (1)
- May 2023 (1)
- April 2022 (1)
- March 2022 (4)
- February 2022 (4)
- November 2021 (1)
- June 2021 (1)
- May 2021 (11)
- March 2021 (29)
- November 2018 (1)
- January 2018 (13)
- December 2017 (27)
- November 2017 (27)
- October 2017 (24)
- September 2017 (17)
- July 2017 (4)
- June 2017 (20)
- May 2017 (4)
- April 2017 (9)
- March 2017 (18)
- February 2017 (10)
- January 2017 (1)
- December 2016 (26)
- November 2016 (34)
- October 2016 (5)